માળખાગત ખર્ચમાં વધારો થવાથી આપણા અર્થતંત્ર પર અનેકગણી અસર પડશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "હું સ્પષ્ટ રેલવે કોરિડોર તથા સંશોધન અને વિકાસ તથા સ્ટાર્ટઅપ ક્ષેત્ર માટે એક લાખ કરોડનાં ભંડોળની પ્રશંસા કરું છું. ક્લીન એનર્જી, ટેકનોલોજી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકવાથી ભારત વિશ્વમાં અગ્રેસર બનશે. આ ભારતની ક્ષણ છે અને આ બજેટ નીતિ બનાવવાની સતત પ્રક્રિયાનો એક ભાગ છે જે ભારત અને ભારતીયો માટે વિશાળ તકો પ્રદાન કરશે.