જ્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અત્યારે યુદ્ધનો સમય નથી, ત્યારે તેઓ સંપૂર્ણપણે સાચા હતા. આ પશ્ચિમ સામે બદલો લેવાનો સમય નથી, કે પૂર્વ સામે પશ્ચિમનો વિરોધ કરવાનો સમય નથી. આ આપણા સાર્વભૌમિક સમાન દેશો માટે સહિયારા સમયગાળાનો સમય છે. આપણે જે પડકારોનો સામનો કરી રહ્યાં છીએ એનો સામનો ખભેખભો મિલાવીને કરવાનો સમય છે.