કમલા પ્રસાદ-બિસેસર, પ્રધાનમંત્રી, ત્રિનિદાદ અને ટોબેગો
તમારા (પીએમ મોદી) નેતૃત્વ હેઠળ ભારતે વિશ્વને મદદનો હાથ લંબાવ્યો છે. પરંતુ તમારી કરુણા અને પરોપકારનો સૌથી મોટો પુરાવો વેક્સિન પહેલ દ્વારા જોવા મળ્યો છે. ચાર વર્ષ પહેલાં જ્યારે કોવિડ-19 રોગચાળાએ સમગ્ર વિશ્વને ઘેરી લીધું હતું, ત્યારે થોડા કેટલાંક દેશોએ મેડિકલ સપ્લાઈનો સ્ટોક કર્યો હતો, ત્યારે તમે ખાતરી કરી હતી કે વેક્સિન અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ ત્રિનિદાદ અને ટોબેગો સહિતના નાનામાં નાના દેશોમાં પણ પહોંચે. તમારી ઉદારતાએ ભયના વાતાવરણમાં આશા અને શાંતિ જગાવી. હું પુનરાવર્તન કરું છું, આ ફક્ત રાજદ્વારી નહોતું. તે ભાઈચારો અને સહિયારી માનવતાનું કાર્ય હતું.