જસદીપ સિંહ, ગ્રુપ સીઈઓ, કેર હોસ્પિટલ્સ ગ્રુપ
તેમણે ઉમેર્યું હતું કે, "હોસ્પિટલની હાલની માળખાગત સુવિધાઓનો ઉપયોગ કરીને વધુ મેડિકલ કોલેજોની સ્થાપના કરવાની સરકારની પ્રતિબદ્ધતા હેલ્થકેર સિસ્ટમને મજબૂત કરવા વ્યૂહાત્મક અભિગમને પ્રતિબિંબિત કરે છે. આ અંદાજપત્રમાં સરકારનો બહુપક્ષીય અભિગમ ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પ્રત્યેના સમર્પણને રેખાંકિત કરે છે, ખાસ કરીને ટાયર 2 શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં. અમને ખુશી છે કે અમે સરકારની યોજનાઓ સાથે જોડાયેલા છીએ, કારણ કે અમે ગુણવત્તાયુક્ત હેલ્થકેરને અસરકારક રીતે પહોંચી વળવા માટે ટાયર-2 શહેરો અને ગ્રામીણ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખીશું."