ડૉ. મુકેશ બત્રા, સ્થાપક અને ચેરમેન અમીરાત, ડૉ. બત્રાસ હોમિયોપેથી અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીયો અને વિદેશીઓમાં જે ઉન્માદ અને ગૌરવ પેદા કર્યું છે તે મેં મારા આંતરરાષ્ટ્રીય પ્રવાસો દરમિયાન જાતે જ અનુભવ્યું છે. તેઓ હવે ભારતને ઊંચા આદરથી જૂએ છે. મોદીજી ભારતને વિશ્વ સમક્ષ લઈ ગયા છે અને “બ્રાન્ડ ઇન્ડિયા” તરીકે ભારતને એક નવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ તરીકે રજૂ કરવામાં સફળ રહ્યા છે.