નિલેશ શાહ, ગ્રુપ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર, કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ
સરકારે મહાસત્તા બનવા માટે જરૂરી 'નવીનતાની ભૂમિકા' ને યોગ્ય રીતે ઓળખી કાઢી છે અને ૧ ટ્રિલિયન રૂપિયાનું ભંડોળ સ્થાપવાની જાહેરાત કરી છે. સરકારની યોજનાઓ અને કાર્યો તમામ પાસાંઓને આવરી લે છે, જેમાં મહેસૂલી બાજુનું સમારકામ, સર્વસમાવેશક વિકાસ, આંતરમાળખાનું નિર્માણ, ઉત્પાદનનું પુનરુત્થાન, હરિયાળી ઊર્જા માટેની તૈયારી અને ભારતમાં નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરવું વગેરેનો સમાવેશ થાય છે.