સરકારે મહાસત્તા બનવા માટે જરૂરી 'નવીનતાની ભૂમિકા' ને યોગ્ય રીતે ઓળખી કાઢી છે અને ૧ ટ્રિલિયન રૂપિયાનું ભંડોળ સ્થાપવાની જાહેરાત કરી છે. સરકારની યોજનાઓ અને કાર્યો તમામ પાસાંઓને આવરી લે છે, જેમાં મહેસૂલી બાજુનું સમારકામ, સર્વસમાવેશક વિકાસ, આંતરમાળખાનું નિર્માણ, ઉત્પાદનનું પુનરુત્થાન, હરિયાળી ઊર્જા માટેની તૈયારી અને ભારતમાં નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરવું વગેરેનો સમાવેશ થાય છે.