નીતીશ કુમાર, બિહારના મુખ્યમંત્રી
₹12 લાખ સુધીની આવકવેરા મુક્તિમાં વધારો મધ્યમ વર્ગને નોંધપાત્ર રાહત આપી છે. કિસાન ક્રેડિટ કાર્ડની ક્રેડિટ લિમિટ ₹3 લાખથી વધારીને ₹5 લાખ કરવામાં આવતા ખેડૂતોને ફાયદો થશે. એમએસએમઇ ક્રેડિટ ગેરન્ટી કવરને ₹5 કરોડથી વધારીને ₹10 કરોડ કરવાથી રોજગારીની તકો વધશે. બજેટમાં ગરીબો, યુવાનો અને ખેડૂતોની તરફેણમાં અનેક પગલાં લેવામાં આવ્યાં છે, જે સરાહનીય છે. હું આ પ્રકારનું રચનાત્મક બજેટ પ્રસ્તુત કરવા બદલ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીનો આભાર માનું છું.