તમારામાં (પીએમ નરેન્દ્ર મોદી) હું આ ત્રણ બોધિસત્વો - મંજુશ્રી, વજ્રપાણી, અવલોકિતેશ્વર-ની અભિવ્યક્તિ જોઉં છું.
તમારામાં, હું તેમના ગુણો - બુદ્ધિ, હિંમત અને કરુણા -ની અભિવ્યક્તિ જોઉં છું.
તમે ભારતની સંપૂર્ણ સંભાવનાની કલ્પના કરવા માટે ગહન જ્ઞાન સાથે નેતૃત્વ કરો છો.
તમે સાહસિક નિર્ણયો લેવાના અને પડકારોનો સામનો કરવા માટે દૃઢ રહેવાની હિંમત સાથે નેતૃત્વ કરો છો.
આ ઉપરાંત તમે કરુણા સાથે નેતૃત્વ કરો છો, હંમેશા તમારા શાસનના કેન્દ્રમાં તમારા લોકોની સુખાકારી રાખો છો. –