કેન્દ્રીય અંદાજપત્રમાં રોજગાર સર્જન અને કૌશલ્યવર્ધન, એમએસએમઇને ટેકો આપવો, કૃષિમાં ઉત્પાદકતામાં સુધારો, માળખાગત રોકાણ, ઊર્જા સુરક્ષા અને શહેરી વિકાસ પર યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે રાજકોષીય મજબૂતી પર ભાર ચાલુ રહ્યો છે, નાણાકીય વર્ષ 2025માં જીડીપીમાં રાજકોષીય ખાધ ઘટીને 4.9 ટકા રહેવાનું અનુમાન છે, જે નાણાકીય વર્ષ 2024માં 5.6 ટકા હતું.