સંજીવ પુરી, ચેરમેન અને એમડી, આઇટીસી લિમિટેડ
હું નાણામંત્રીની પ્રશંસા કરવા માંગુ છું કે તેમણે એક એવું બજેટ રજૂ કર્યું છે, જે ભારતના વિશ્વાસને નક્કર અને અપાર વચનના અર્થતંત્ર તરીકે દર્શાવે છે, જે અનુકરણીય શાસન, દીર્ઘદ્રષ્ટિવાળા સુધારાઓની સાતત્યતા, વિઝન અને વ્યૂહરચનાની સાતત્યતા અને માળખાગત વિકાસ, સાતત્યપૂર્ણ અને સર્વસમાવેશક વિકાસ તેમજ ટેકનોલોજીકલ ઉત્કૃષ્ટતા પર અભૂતપૂર્વ ભાર મૂકવાના પાયા પર વિકસિત ભારત તરફ આગેકૂચ કરે છે. અંદાજપત્રમાં માનનીય પ્રધાનમંત્રીના અમૃત કાલના યુગનું નેતૃત્વ કરવાના અસાધારણ દ્રષ્ટિકોણનું નિર્માણ કરવામાં આવ્યું છે અને વૈશ્વિક મંચ પર ભારતને સામાજિક-આર્થિક પરિવર્તનના ઉજ્જવળ ઉદાહરણ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.