સંદીપ સભરવાલ, સ્થાપક અને સીઈઓ, સોહન લાલ કોમોડિટી મેનેજમેન્ટ (એસએલસીએમ) ગ્રુપ
વચગાળાના બજેટમાં લણણી પછીની પ્રવૃત્તિઓને જે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તે આવકારદાયક પગલું છે. તે ખાનગી-જાહેર ભાગીદારીને પ્રોત્સાહિત કરવા અને સંગ્રહ, પુરવઠા શ્રુંખલા તેમજ પ્રાથમિક અને ગૌણ સંગ્રહ સહિત લણણી પછીના કૃષિ લોજિસ્ટિક્સના વિવિધ કાર્યક્ષેત્રને સંબોધવા માટે એક સકારાત્મક પગલું છે. લખપતિ દીદીઓના કાર્યક્ષેત્રમાં પહેલેથી જ આવી રહેલી એક કરોડ મહિલાઓ ઉપરાંત, સરકાર હવે આ યોજના હેઠળ 3 કરોડ નવી લખપતિ દીદીઓને સમાવવાનો ઇરાદો ધરાવે છે, અને અમને આશા છે કે તે દેશના ગ્રામીણ ભાગોમાં ભારતીય કૃષિ ક્ષેત્રમાં અનેક જીવનની કાયાપલટ કરશે.