Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ યોગ કેવી રીતે પરંપરાગત સુખાકારી પ્રથામાંથી આરોગ્ય અને સુખાકારી માટે પુરાવા-આધારિત અભિગમમાં વિકસિત થયો છે તે અંગેનો એક લેખ શેર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે, કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવ દ્વારા લખાયેલ એક લેખ શેર કર્યો છે કે કેવી રીતે છેલ્લા એક દાયકામાં, યોગ એક પરંપરાગત સુખાકારી પ્રથામાંથી આરોગ્ય અને સુખાકારી માટેના પુરાવા-આધારિત (evidence-based) અભિગમમાં વિકસિત થયો છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક સંશોધન, ડિજિટલ નવીનતા અને વૈશ્વિક સહયોગ વિશ્વને તેના ફાયદાઓને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી રહ્યા છે.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી @mpprataprao વિગતવાર વર્ણન કરે છે કે કેવી રીતે, છેલ્લા એક દાયકામાં, યોગ એક પરંપરાગત સુખાકારી પ્રથામાંથી આરોગ્ય અને સુખાકારી માટેના પુરાવા-આધારિત અભિગમમાં વિકસિત થયો છે. વૈજ્ઞાનિક સંશોધન, ડિજિટલ નવીનતા અને વૈશ્વિક સહયોગ વિશ્વને તેના ફાયદાઓને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી રહ્યા છે.”

dailypioneer.com/news/yoga-lead…

NaMo એપ દ્વારા

SM/DK/JD