Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

દિલ્હીના માલવીય નગરમાં આગની ઘટનામાં થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના માલવીય નગરમાં આગની ઘટનાને કારણે થયેલી જાનહાનિને દુઃખદ ગણાવી હતી. તેમણે પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી કામના કરી હતી. તેમણે નોંધ્યું હતું કે સત્તાવાળાઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેક મૃતકના વારસદારોને રૂપિયા 2 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. શ્રી મોદીએ એમ પણ જણાવ્યું હતું કે આ ઘટનામાં ઈજા પામેલા લોકોને રૂપિયા 50,000 આપવામાં આવશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“દિલ્હીના માલવીય નગરમાં આગની ઘટનાને કારણે થયેલી જાનહાનિ દુઃખદ છે. જેઓએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી કામના. સત્તાવાળાઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે.

PMNRFમાંથી પ્રત્યેક મૃતકના વારસદારોને રૂપિયા 2 લાખની સહાય આપવામાં આવશે. ઈજાગ્રસ્તોને રૂપિયા 50,000 આપવામાં આવશે: PM @narendramodi”

 

SM/IJ/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com