Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિ થિરૂ સીપી રાધાકૃષ્ણનજીની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉપરાષ્ટ્રપતિ થિરૂ સીપી રાધાકૃષ્ણનજીની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતના લોકોનો વિશ્વાસ અને આશીર્વાદ તેમને રાષ્ટ્રની સેવામાં વધુ સખત મહેનત કરવાની પ્રેરણા આપે છે.

શ્રી મોદીએ નોંધ્યું હતું કે, તેમના તમામ પ્રયાસો એક એવા વિકસિત ભારતના નિર્માણના ઉદ્દેશ્ય દ્વારા માર્ગદર્શિત થવાનું ચાલુ રહેશે જે સમૃદ્ધ હોય અને આપણી સભ્યતાના વારસા પર ગર્વ અનુભવતું હોય. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણા સાથી ભારતીયોના સપના અને આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

આપની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર, ઉપરાષ્ટ્રપતિ થિરૂ સીપી રાધાકૃષ્ણનજી. ભારતના લોકોનો વિશ્વાસ અને આશીર્વાદ મને રાષ્ટ્રની સેવામાં વધુ સખત મહેનત કરવાની પ્રેરણા આપે છે. મારા તમામ પ્રયાસો એક એવા વિકસિત ભારતના નિર્માણના ઉદ્દેશ્ય દ્વારા માર્ગદર્શિત થવાનું ચાલુ રહેશે જે સમૃદ્ધ હોય અને આપણી સભ્યતાના વારસા પર ગર્વ અનુભવતું હોય. આપણા સાથી ભારતીયોના સપના અને આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં. @VPIndia @CPR_VP”

SM/IJ/JD