Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સકારાત્મક વિચારો અને રચનાત્મક ટેવો પર ભાર મૂકતું સંસ્કૃત સુભાષિત શેર કર્યુ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સકારાત્મક વિચારો અને રચનાત્મક ટેવો કેળવવાના મહત્વ પર ભાર મૂકતું સંસ્કૃત સુભાષિત શેર કર્યુ છે. તે આપણને યાદ અપાવે છે કે સતત ધ્યાન અને વારંવારનો અભ્યાસ મનની વૃત્તિઓને ઘડે છે અને આખરે આપણા કાર્યો અને આચરણને અસર કરે છે:

“यद् यदेव प्रसक्तं हि वितर्कयति मानवः।

अभ्यासात् तेन तेनास्य नतिर्भवति चेतसः।। “

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

यद् यदेव प्रसक्तं हि वितर्कयति मानवः।

अभ्यासात् तेन तेनास्य नतिर्भवति चेतसः।।

SM/BS/JD