Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સૌના કલ્યાણ, જ્ઞાન અને સમૃદ્ધિની કામના કરતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જેમાં બધાના કલ્યાણ, સૌભાગ્ય, સલામતી, શાંતિ, જ્ઞાન અને સમૃદ્ધિ માટે આશીર્વાદ માંગ્યા. સુભાષિત ભગવાન ઇન્દ્ર, ભગવાન સૂર્ય, ભગવાન ગરુડ અને ભગવાન બૃહસ્પતિના આશીર્વાદ માંગે છે.

स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः।

स्वस्ति नः पूषा विश्ववेदाः।

स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः।

स्वस्ति नो बृहस्पतिर्दधातु॥”

સુભાષિતમાં કહેવાયું છે: તેજસ્વી ભગવાન ઇન્દ્ર આપણને સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરે. સમગ્ર બ્રહ્માંડના જ્ઞાતા અને સૌનું ભરણપોષણ કરનાર ભગવાન સૂર્ય આપણા માટે મંગલકારી બને. વિઘ્નોને દૂર કરનાર ભગવાન ગરુડ આપણા સૌનું રક્ષણ કરે. જ્ઞાનના દેવતા ભગવાન બૃહસ્પતિ આપણને શાંતિ, બુદ્ધિ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે.

પ્રધાનમંત્રીએ ‘X’ પર લખ્યું:

स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः।

स्वस्ति नः पूषा विश्ववेदाः।

स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः।

स्वस्ति नो बृहस्पतिर्दधातु॥”

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  <img alt=”” src=”http://sta… [ PM India 0KB ]