પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 12 સપ્ટેમ્બર 2026ના રોજ નવી દિલ્હી ખાતે 18મી બ્રિક્સ સમિટ દરમિયાન મલેશિયાના પ્રધાનમંત્રી મહામહિમ દાતો’ સેરી અનવર બિન ઇબ્રાહિમ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.
પ્રધાનમંત્રી મોદીએ મલેશિયાના પ્રધાનમંત્રી ઇબ્રાહિમનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને ભાગીદાર દેશ તરીકે બ્રિક્સ સમિટમાં મલેશિયાની ભાગીદારીની પ્રશંસા કરી હતી. નેતાઓએ ફેબ્રુઆરી 2026માં પ્રધાનમંત્રી મોદીની મલેશિયા મુલાકાતના પરિણામોની સમીક્ષા કરી હતી અને વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, સેમિકન્ડક્ટર્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ઇકોનોમી, ઊર્જા, ફિનટેક, શિક્ષણ, પ્રવાસન અને લોકો વચ્ચેના સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમે સબાહના કોટા કિનાબાલૂ ખાતે ભારતનું કોન્સ્યુલેટ જનરલ સ્થાપવા માટે મલેશિયાની સંમતિ આપી હતી.
પ્રધાનમંત્રી મોદીએ આસિયાન-ભારત સંબંધોને મજબૂત કરવામાં મલેશિયાના સતત સહયોગની પ્રશંસા કરી હતી. નેતાઓએ પરસ્પર હિતના મુખ્ય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. તેમણે ભારત-મલેશિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે તેમની સતત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad <img alt=”” src=”http://sta… [
0KB ]