Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સર્વસમાવેશક શાસન અને અસરકારક અમલીકરણ પર પ્રકાશ પાડતો લેખ શેર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ નાણાં અને મહેસૂલ સચિવ શ્રી હસમુખ અઢિયા દ્વારા લખાયેલો એક લેખ શેર કર્યો છે. આ લેખમાં એ વાત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે કે કેવી રીતે દૂરંદેશી વિચારસરણી, યોગ્ય ઈરાદો અને સુશાસન ભારતને પ્રગતિના નવા માર્ગે આગળ વધવામાં મદદ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ લેખ રાષ્ટ્રને મજબૂત બનાવવામાં જન-કેન્દ્રિત નીતિઓ અને અસરકારક શાસનની પરિવર્તનકારી અસરો વિશે મૂલ્યવાન સમજ પૂરી પાડે છે.

પ્રધાનમંત્રીએ ‘X’ પર પોસ્ટ કર્યું:

જ્યારે ગરીબ અને વંચિત વર્ગોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવામાં આવે છે અને નિર્ણયોનું જમીની સ્તરે અમલીકરણ કરવામાં આવે છે, ત્યારે સમાજ અને રાષ્ટ્ર બંને મજબૂત બને છે. આ લેખમાં, ભારતના ભૂતપૂર્વ નાણાં અને મહેસૂલ સચિવ શ્રી @adhia03 સમજાવે છે કે કેવી રીતે દેશ દૂરંદેશી વિચારસરણી, યોગ્ય ઈરાદા અને સુશાસન દ્વારા પ્રગતિનો નવો માર્ગ શોધી રહ્યો છે.

https://www.amarujala.com/india-news/why-narendra-modi-is-successful-management-human-spiritual-qualities-2026-09-18

 

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]