Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી શ્રીશૈલમ ખાતે રાષ્ટ્રીય જન જાગૃતિ ધરમ સંમેલનને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી શ્રીશૈલમ ખાતે રાષ્ટ્રીય જન જાગૃતિ ધરમ સંમેલનને સંબોધન કર્યું


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (17 માર્ચ, 2018) વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી શ્રીશૈલમ ખાતે રાષ્ટ્રીય જન જાગૃતિ ધરમ સંમેલનને સંબોધન કર્યું હતું.

ઉગાદીનાં તહેવાર નિમિત્તે તમામને શુભેચ્છાઓ પાઠવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ઉગાદી એ નવી શરૂઆત અને નવી આશાઓનો ઉત્સવ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકાર સ્પષ્ટ લક્ષ્યો અને સમયસૂચકતા સાથે અનેક યોજનાઓ પર કામ કરી રહી છે.

આ સંદર્ભમાં તેમણે જન ધન ખાતા ખોલવા, ગરીબો માટે વીમો, ઉજ્જવલા રાંધણગેસ જોડાણો, મુદ્રા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના વગેરેમાં કરવામાં થયેલી પ્રગતિનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું કે, માળખાગત બાંધકામની ઝડપમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે આયુષ્માન ભારત યોજના અને રાષ્ટ્રીય પોષણ મિશનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે સ્વચ્છ ભારત મિશન દ્વારા દેશમાં સ્વચ્છતાનાંવ્યાપમાં પણ વધારો થયો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આજે લોકો દેશને તેની નબળાઈમાંઓથી ખૂબ જડપથી મુક્ત કરવા માંગે છે. તેમણે કહ્યું કે સરકાર રાષ્ટ્ર નિર્માણનાં હિત માટે સખત પરિશ્રમ કરી રહી છે અને દરેક નાગરિકનો સહકાર આ પ્રયત્નોમાં વેગ પૂરો પાડશે.

RP