Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જોહાનિસબર્ગમાં G20 નેતાઓના સમિટ દરમિયાન પ્રધાનમંત્રી જાપાનના પ્રધાનમંત્રીને મળ્યા

જોહાનિસબર્ગમાં G20 નેતાઓના સમિટ દરમિયાન પ્રધાનમંત્રી જાપાનના પ્રધાનમંત્રીને મળ્યા


માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં G20 નેતાઓની સમિટ દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ સના તાકાચી સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. 29 ઓક્ટોબર, 2025ના રોજ પ્રધાનમંત્રી તાકાચી સાથે ટેલિફોન પર વાતચીત કર્યા પછી પ્રધાનમંત્રીની તેમની સાથે આ પહેલી મુલાકાત હતી.

બંને નેતાઓએ ભારતજાપાન ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના મહત્વને પુનઃપુષ્ટિ કરી, જે સભ્યતાઓ, સહિયારા મૂલ્યો, પરસ્પર સદ્ભાવના અને મુક્ત અને ખુલ્લા ઈન્ડોપેસિફિક પ્રત્યેની પ્રતિબદ્ધતા વચ્ચેના જોડાણો પર આધારિત છે. નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા માટે ભારતજાપાન ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.

15મી ભારતજાપાન વાર્ષિક સમિટ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોમાં સતત પ્રગતિનો સ્વીકાર નેતાઓએ કર્યો અને સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને રોકાણ, SME, કૃત્રિમ બુદ્ધિ, આવશ્યક ખનિજો, સેમિકન્ડક્ટર, માળખાગત વિકાસ, ટેકનોલોજી અને નવીનતા અને લોકોથીલોકોના આદાનપ્રદાન સહિત વિવિધ ક્ષેત્રોમાં પ્રાપ્ત પરિણામોના ઝડપી અમલીકરણ માટે હાકલ કરી હતી. તેમણે વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ભારત અને જાપાન વચ્ચે સહયોગ માટેની તકો પર પણ ચર્ચા કરી અને પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર મંતવ્યો શેર કર્યા હતા. પ્રધાનમંત્રી તાકાચીએ ફેબ્રુઆરી 2026માં ભારત દ્વારા આયોજિત થનારા AI સમિટ માટે મજબૂત સમર્થન વ્યક્ત કર્યું હતું.

બંને નેતાઓએ ભાર મૂક્યો કે ભારત અને જાપાન મૂલ્યવાન ભાગીદારો અને વિશ્વસનીય મિત્રો છે. પ્રદેશ અને સમગ્ર વિશ્વમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા માટે બંને દેશો વચ્ચે મજબૂત સંબંધો જરૂરી છે.

નેતાઓ સંપર્કમાં રહેવા અને વહેલી તકે ફરી મળવા સંમત થયા હતા.

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]