Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને કતારના અમીરનો ફોન આવ્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે કતારના અમીર મહામહિમ શેખ તમીમ બિન હમાદ અલથાનીનો ફોન આવ્યો હતો.

કતારના અમીરે 21 જૂનના રોજ કતારના રાસ લફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં થયેલા અકસ્માતમાં ભારતીય નાગરિકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી.

પ્રધાનમંત્રીએ અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા બદલ તેમનો આભાર માન્યો અને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી તે બદલ પ્રશંસા કરી હતી.

બંને નેતાઓએ તેમના નાગરિકોની સુખાકારી અને સલામતી સુનિશ્ચિત કરવા માટેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને એકબીજા પ્રત્યેના તેમના સમર્થન અને એકતાને પુનરોચ્ચારિત કર્યા હતા.

પશ્ચિમ એશિયાની પરિસ્થિતિની ચર્ચા કરતા, પ્રધાનમંત્રીએ શાંતિ પ્રયાસોમાં કતારના સકારાત્મક યોગદાનની પ્રશંસા કરી અને આશા વ્યક્ત કરી કે આનાથી પ્રદેશમાં કાયમી શાંતિ અને સ્થિરતા આવશે.

બંને નેતાઓએ તમામ ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવાના તેમના સંકલ્પનો પણ પુનરોચ્ચાર કર્યો.

 

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]