Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઈ-નામ – રાષ્ટ્રીય કૃષિ બજારના શુભારંભના અવસર પર ખેડૂતોને સંબોધિત કર્યા

પ્રધાનમંત્રીએ ઈ-નામ – રાષ્ટ્રીય કૃષિ બજારના શુભારંભના અવસર પર ખેડૂતોને સંબોધિત કર્યા

પ્રધાનમંત્રીએ ઈ-નામ – રાષ્ટ્રીય કૃષિ બજારના શુભારંભના અવસર પર ખેડૂતોને સંબોધિત કર્યા


પ્રધાનમંત્રી શ્રી નેરન્દ્ર મોદીએ આજે (14-4-2016) રાષ્ટ્રીય કૃષિ બજાર માટે ઈ-ટ્રેડિંગ પ્લેટફોર્મ ‘ઈ-નામ’ ની પ્રાયોગિક પરિયોજના (પાયલટ)ના શુભારંભના અવસર પર ઉપસ્થિત ખેડૂતોને સંબોધિત કર્યા.

આજ થી 8 રાજ્યોની 21 મંડીઓ ‘ઈ-નામ’ સાથે જોડાઈ ગઈ છે.

આ અવસર પર તેમણે કહ્યું કે આ પહેલથી પારદર્શિતા આવશે, જેથી ખેડૂતો સારો એવો ફાયદો થશે.

શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ કૃષિ સમુદાય માટે એક મોટો બદલાવ છે. તેમણે કહ્યું કે કૃષિ ક્ષેત્રને સમગ્ર રૂપથી જોવું પડશે અને ત્યાર પછી જ ખેડૂતોને અધિકત્તમ લાભ સુનિશ્ચિત કરી શકાય છે.

પ્રધાનમંત્રીએ આ અવસર પર ખેડૂતોને આ વિસ્તારની જાણકારી આપી કે કયા-કયા પગલા લેવાઈ ચૂક્યા છે અને ખેડૂતોની આવક વધારવા માટે હવે શું કરી શકાય છે.

J.Khunt/GP