Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કેન્દ્રીય મંત્રી દ્વારા લિખિત એક લેખ શેર કર્યો, જેમાં એક એવી પરિવર્તનશીલ યાત્રા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે જ્યાં સુધારા અને અસરકારક અમલીકરણ સુશાસનના કેન્દ્રમાં રહ્યા છે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલ દ્વારા લખાયેલો એક લેખ શેર કર્યો છે, જેમાં એક એવી પરિવર્તનશીલ યાત્રા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે જ્યાં સુધારા (રિફોર્મ) અને અસરકારક ડિલિવરી (અમલીકરણ) સુશાસનના કેન્દ્રમાં રહ્યા છે.

લેખ એક એવી પરિવર્તનશીલ યાત્રા વિશે વાત કરે છે જ્યાં સુધારા અને અસરકારક અમલીકરણ શાસનના કેન્દ્રસ્થાને રહ્યા છે. કલ્યાણકારી યોજનાઓનો વિસ્તાર, નાણાકીય સર્વસમાવેશકતા (ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન), મહિલા સંચાલિત વિકાસ (વુમનલેડ ડેવલપમેન્ટ), ઉદ્યોગસાહસિકતા (એન્ટરપ્રિન્યોરશિપ) અને માળખાકીય સુવિધાઓના (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) વિકાસનો ઉલ્લેખ કરતા, તેમાં નોંધવામાં આવ્યું છે કે પીપલફર્સ્ટ‘ (જનતા પ્રથમ) ના અભિગમે આકાંક્ષાઓને મજબૂત કરી છે, વિકાસને વેગ આપ્યો છે અને વિકસિત ભારત તરફની ભારતની યાત્રામાં નવો આત્મવિશ્વાસ જગાડ્યો છે.

પ્રધાનમંત્રીશ્રીએ X પર પોસ્ટ કર્યું:

કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલનો લેખ એવા પરિવર્તનકારી પ્રવાસની વાત કરે છે, જેમાં સુધારા અને અસરકારક અમલીકરણ શાસનના કેન્દ્રમાં રહ્યા છે. કલ્યાણકારી યોજનાઓના વિસ્તરણ, નાણાકીય સમાવેશ, મહિલાકેન્દ્રિત વિકાસ, ઉદ્યોગસાહસિકતા અને માળખાગત સુવિધાઓના વિકાસનો ઉલ્લેખ કરતાં તેઓ નોંધે છે કે પીપલ ફર્સ્ટ અભિગમ દ્વારા આશાઓને મજબૂત બનાવવામાં આવી છે, વિકાસને વેગ આપ્યો છે અને વિકસિત ભારત તરફની ભારતની યાત્રા પ્રત્યે નવા વિશ્વાસનો સંચાર કર્યો છે.”

SM/BS/JD