Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ છત્તીસગઢને તેના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના લોકોને તેમના 25મા સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રકૃતિ અને સંસ્કૃતિને સમર્પિત છત્તીસગઢ પ્રગતિના નવા પરિમાણો સ્થાપિત કરી રહ્યું છે. તેમણે નોંધ્યું કે એક સમયે નક્સલવાદથી પ્રભાવિત ઘણા વિસ્તારો હવે વિકાસની દોડમાં જોડાઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે છત્તીસગઢના પ્રતિભાશાળી લોકોની મહેનત અને ઉદ્યોગસાહસિકતા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.

પ્રધાનમંત્રીએ એક પોસ્ટમાં કહ્યું;

“રાજ્યના સ્થાપના દિવસની 25મી વર્ષગાંઠ પર છત્તીસગઢના મારા બધા ભાઈઓ અને બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રકૃતિ અને સંસ્કૃતિને સમર્પિત આ રાજ્ય આજે પ્રગતિના નવા ધોરણો સ્થાપિત કરવામાં રોકાયેલું છે. એક સમયે નક્સલવાદથી પ્રભાવિત ઘણા વિસ્તારો હવે વિકાસ માટે સ્પર્ધા કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે તેના મહેનતુ અને કુશળ લોકોના સમર્પણ અને સાહસથી, આપણું રાજ્ય વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.”

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]