Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ડૉ. એપીજે અબ્દુલ કલામને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. શ્રી મોદીએ કહ્યું કે ડૉ. એપીજે અબ્દુલ કલામને એક પ્રેરણાદાયી સ્વપ્નદ્રષ્ટા, ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક, માર્ગદર્શક અને મહાન દેશભક્ત તરીકે યાદ કરવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ X પરની પોસ્ટમાં કહ્યું:

“આપણા પ્રિય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. તેમને પ્રેરણાદાયી સ્વપ્નદ્રષ્ટા, ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક, માર્ગદર્શક અને મહાન દેશભક્ત તરીકે યાદ કરવામાં આવે છે. રાષ્ટ્ર પ્રત્યેનું તેમનું સમર્પણ અનુકરણીય હતું. તેમના વિચારો ભારતના યુવાનોને વિકસિત અને મજબૂત ભારત બનાવવા માટે યોગદાન આપવા પ્રેરણા આપે છે.”

 

AP/JY/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]