પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની 125મી જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમણે તેમને એક મહાન રાષ્ટ્રનિર્માતા, પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને સ્વપ્નદ્રષ્ટા નેતા તરીકે યાદ કર્યા જેમણે ભારતની એકતા, ગૌરવ અને પ્રગતિ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે શિક્ષણ, ઔદ્યોગિક વિકાસ અને રાષ્ટ્રીય એકતાના ક્ષેત્રોમાં ડૉ. મુખર્જીનું મહત્વપૂર્ણ યોગદાન પેઢીઓને પ્રેરણા આપતું રહેશે. શ્રી મોદીએ કહ્યું, “જેમ-જેમ ભારત ‘વિકસિત ભારતના’ લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, તેમ-તેમ ડૉ. મુખર્જીનું વિઝન અને આદર્શો રાષ્ટ્રને માર્ગદર્શન આપતા રહે છે.”
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
આજે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતી પર હું ભારતના મહાન રાષ્ટ્રનિર્માતાઓમાંના એકને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમનું જીવન વિદ્વતા, હિંમત અને રાષ્ટ્રની સેવા પ્રત્યેના અતૂટ સમર્પણથી ભરેલું હતું. તેમણે ભારતની એકતા, ગૌરવ અને પ્રગતિ માટે પોતાને સમર્પિત કરી દીધા હતા.
ડૉ. મુખર્જીનું યોગદાન અનેક ક્ષેત્રોમાં ફેલાયેલું હતું. તેઓ એક તેજસ્વી વિચારક અને શિક્ષક હતા જેમણે ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ નવી વિચારસરણી અને શિક્ષણ પદ્ધતિઓનો પ્રચાર કર્યો. ઉદ્યોગ મંત્રી તરીકે, તેમણે ઔદ્યોગિક સ્વનિર્ભરતાનો પાયો નાખ્યો, સાથે સાથે પરંપરાગત ક્ષેત્રો અને લોકોની આજીવિકાનો વિકાસ પણ સુનિશ્ચિત કર્યો. બંગાળના દુષ્કાળ દરમિયાન તેમના માનવતાવાદી પ્રયાસો મુશ્કેલીમાં મુકાયેલા લોકો પ્રત્યેની તેમની ઊંડી કરુણાને પ્રતિબિંબિત કરે છે. સૌથી અગત્યનું, ભારતની એકતા અને અખંડિતતા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા પ્રેરણાનો કાયમી સ્ત્રોત રહે છે.
જેમ-જેમ આપણે ‘વિકસિત ભારત’ તરફની આપણી સફર પર આગળ વધી રહ્યા છીએ, તેમ-તેમ તેમનું વિઝન આપણા માર્ગને પ્રકાશિત કરતું રહે છે.
Today, on the 125th Jayanti of Dr. Syama Prasad Mookerjee, I bow to one of India’s most remarkable nation-builders, whose life was defined by scholarship, courage and an unwavering commitment to national service. He dedicated himself to the cause of India’s unity, dignity and…
— Narendra Modi (@narendramodi) July 6, 2026
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
Today, on the 125th Jayanti of Dr. Syama Prasad Mookerjee, I bow to one of India's most remarkable nation-builders, whose life was defined by scholarship, courage and an unwavering commitment to national service. He dedicated himself to the cause of India's unity, dignity and…
— Narendra Modi (@narendramodi) July 6, 2026