Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દિલ્હી – મેરઠ એક્સપ્રેસ વેની આધારશિલાનું અનાવરણ કર્યું

પ્રધાનમંત્રીએ દિલ્હી – મેરઠ એક્સપ્રેસ વેની આધારશિલાનું અનાવરણ કર્યું

પ્રધાનમંત્રીએ દિલ્હી – મેરઠ એક્સપ્રેસ વેની આધારશિલાનું અનાવરણ કર્યું

પ્રધાનમંત્રીએ દિલ્હી – મેરઠ એક્સપ્રેસ વેની આધારશિલાનું અનાવરણ કર્યું

પ્રધાનમંત્રીએ દિલ્હી – મેરઠ એક્સપ્રેસ વેની આધારશિલાનું અનાવરણ કર્યું

પ્રધાનમંત્રીએ દિલ્હી – મેરઠ એક્સપ્રેસ વેની આધારશિલાનું અનાવરણ કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નોઈડાના સેક્ટર 62માં દિલ્હી – મેરઠ એક્સપ્રેસ વેની આધારશિલાનું અનાવરણ કર્યું.

આ અવસર પર પ્રધાનમંત્રીએ બ્રિટનના શાસનથી આઝાદી માટે 1857ના આંદોલનમાં મેરઠની ભૂમિકાનું સ્મરણ કર્યું અને કહ્યું કે દિલ્હી – મેરઠ એક્સપ્રેસ વે પ્રદૂષણથી મુક્તિ પ્રદાન કરશે.

વિકાસ માટે લોકોની આકાંક્ષાઓનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સારા માર્ગોના વિકાસની પ્રથમ પૂર્વ – શરતોમાંની એક છે. તેમણે કહ્યું કે આ એક્સપ્રેસ વે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં વિકાસને પ્રોત્સાહન આપશે. તેમણે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપાયીની સ્વર્ણિમ ચતુર્ભૂજ પરિયોજના તેમજ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા દેશને પરસ્પર જોડવાના વિઝનને યાદ કર્યું.

પ્રધાનમંત્રીએ કિસાનો માટે પર્યાપ્ત સિંચાઈ સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના સમેત અન્ય વિકાસ યોજનાઓની ચર્ચા કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે શ્રેણી – 3 અને શ્રેણી 4 વર્ગોમાં સરકારી નોકરીઓ માટેના ઈન્ટરવ્યૂને નાબૂદ કરવા મારફતે સરકાર 1 જાન્યુઆરી, 2016ના રોજ દેશના યુવાઓને એક અનોખો ઉપહાર આપી રહી છે.

પ્રધાનમંત્રીએ બધા રાજનીતિક દળોને 2016માં એક સંકલ્પ કરવાની અપીલ કરી છે કે તેઓ સંસદનું કાર્ય ચાલવા દેશે અને ગરીબોના લાભ માટે કાર્ય કરશે. તેમણે કહ્યું કે ભારતના નાગરિકોને પોતાના પ્રતિનિધિઓની પસંદગી સંસદમાં ચર્ચા કરવા, પરિચર્ચા કરવા તેમજ વિચાર-વિમર્શ કરવા માટે કરી છે એટલે તેમનું આ દાયિત્વ છે.

આ અવસર પર ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, કેન્દ્રીય મંત્રી શ્રી નિતિન ગડકરી, કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) ડૉ. મહેશ શર્મા તેમજ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી પી. રાધાકૃષ્ણન પણ ઉપસ્થિત હતા.

UM/AP/J.Khunt/GP