Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નવીનતા અને સાહસિકતાના ક્ષેત્રમાં વિવિધતાની ભૂમિકા પર પ્રકાશ પાડતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નવીનતા અને સાહસિકતાના ક્ષેત્રોમાં, દરેક વ્યક્તિની વિચારવાની એક અલગ રીત અને અનન્ય સર્જનાત્મક દ્રષ્ટિકોણ હોય છે, અને આ વિવિધતા જ નવી શક્યતાઓને જન્મ આપે છે. તેમણે નોંધ્યું હતું કે જેવી રીતે પાણીના દરેક સ્ત્રોતનો સ્વાદ અલગ હોય છે, તેવી જ રીતે દરેક પ્રતિભા પોતાની આગવી ઓળખ અને યોગદાન ધરાવે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે વિવિધ વિચારો અને ક્ષમતાઓના સંકલન દ્વારા નવીનતા અને પ્રગતિ શક્ય બને છે.

પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું

पिण्डे पिण्डे मतिर्भिन्ना कुण्डे कुण्डे नवं पयः।

जातौ जातौ नवाचाराः नवा वाणी मुखे मुखे॥

આ સુભાષિત એવો ભાવ વ્યક્ત કરે છે કે નવીનતા અને સાહસના ક્ષેત્રમાં, દરેક વ્યક્તિની વિચારવાની રીત અલગ અને અનન્ય સર્જનાત્મક દ્રષ્ટિકોણ હોય છે, અને આ વિવિધતા નવી શક્યતાઓને જન્મ આપે છે. જેવી રીતે પાણીનો સ્વાદ એક સ્ત્રોતથી બીજા સ્ત્રોતમાં ભિન્ન હોય છે, તેવી જ રીતે દરેક પ્રતિભાની પોતાની આગવી ઓળખ અને યોગદાન હોય છે. આ વિવિધ વિચારો અને ક્ષમતાઓના જોડાણ દ્વારા જ નવીનતા અને પ્રગતિ શક્ય બને છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

पिण्डे पिण्डे मतिर्भिन्ना कुण्डे कुण्डे नवं पयः।

जातौ जातौ नवाचाराः नवा वाणी मुखे मुखे॥

 

SM/DK/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]