Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે તેમને એક મહાન સાહિત્યકાર તરીકે યાદ કર્યા જેમના કાર્યોએ ભારતીયોની પેઢીઓમાં દેશભક્તિ અને સાંસ્કૃતિક ગૌરવની ભાવના જગાડી હતી.

આ વર્ષના મહત્વ પર પ્રકાશ પાડતા, શ્રી મોદીએ કહ્યું કે ભારત ‘વંદે માતરમ’ ની 150મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. તેમણે કહ્યું કે ‘વંદે માતરમ’ દ્વારા, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ભારતીય સ્વતંત્રતા ચળવળ અને રાષ્ટ્રને પ્રેરણાનો સ્ત્રોત પૂરો પાડ્યો જે હંમેશા યાદ રહેશે.

પ્રધાનમંત્રીએ ‘X’ પર પોસ્ટ કર્યું:

મહાન બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.

એક મહાન સાહિત્યકાર જેમના કાર્યોએ ભારતીયોની પેઢીઓમાં દેશભક્તિ અને સાંસ્કૃતિક ગૌરવની ભાવના જગાડી. તેમનું સમૃદ્ધ સાહિત્યિક કાર્ય લોકોના વિચારોને ઉજાગર કરવાનું અને રાષ્ટ્રનિર્માણ પ્રત્યેના આપણા સામૂહિક સંકલ્પને મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે.

આ એવો સમય છે જ્યારે આપણે ‘વંદે માતરમ’ ની 150મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. ‘વંદે માતરમ’ દ્વારા, તેમણે સ્વતંત્રતા ચળવળ અને આપણા રાષ્ટ્રને પ્રેરણાનો સ્ત્રોત પૂરો પાડ્યો જે હંમેશા યાદ રહેશે.

মহান বঙ্কিম চন্দ্র চট্টোপাধ্যায়ের জয়ন্তীতে তাঁর প্রতি শ্রদ্ধাঞ্জলি।

এক সুবিশাল সাহিত্যিক আলোকবর্তিকা হিসেবে, তাঁর লেখা প্রজন্মান্তরের ভারতীয়দের মধ্যে দেশপ্রেম এবং সাংস্কৃতিক গৌরবের চেতনা জাগ্রত করেছিল। তাঁর সমৃদ্ধ সাহিত্যকর্ম মনকে উদ্ভাসিত করে চলেছে এবং জাতি গঠনের প্রতি আমাদের সম্মিলিত সংকল্পকে শক্তিশালী করছে।

এখন আমরা বন্দে মাতরমের ১৫০তম বার্ষিকী উদযাপন করছি। বন্দে মাতরমের মাধ্যমে, তিনি স্বাধীনতা আন্দোলন এবং আমাদের জাতিকে অন্যতম দীর্ঘস্থায়ী অনুপ্রেরণা উপহার দিয়েছিলেন।

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]