Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતની સાંસ્કૃતિક વિરાસતના સંરક્ષણ અને પ્રોત્સાહન માટેના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની સાંસ્કૃતિક વિરાસતના સંરક્ષણ અને પ્રોત્સાહન માટેના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો છે અને જણાવ્યું છે કે ભારતની સાંસ્કૃતિક વિરાસતને સાચવવામાં આવી રહી છે, તેની ઉજવણી કરવામાં આવી રહી છે અને નવી ઊર્જા સાથે તેને આગળ ધપાવવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ‘વિરાસત ભી, વિકાસ ભી’ ના વિઝનથી પ્રેરિત થઈને, પ્રાચીન કલાકૃતિઓ અને અવશેષોની સ્વદેશ વાપસીથી લઈને આધ્યાત્મિક અને તીર્થયાત્રાના માળખાને મજબૂત કરવા સુધીના પ્રયાસો લોકોને ભારતની કાલાતીત પરંપરાઓ સાથે ફરીથી જોડી રહ્યા છે.

X પર એક પોસ્ટમાં, તેમણે કહ્યું; “ભારતની સાંસ્કૃતિક વિરાસતનું સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે, તેની ઉજવણી કરવામાં આવી રહી છે અને નવી ઊર્જા સાથે તેને આગળ ધપાવવામાં આવી રહી છે.

વિરાસત ભી, વિકાસ ભી’ના વિઝનથી પ્રેરિત થઈને, પ્રાચીન કલાકૃતિઓ અને અવશેષોની સ્વદેશ વાપસીથી લઈને આધ્યાત્મિક અને તીર્થયાત્રાના માળખાને મજબૂત કરવા સુધીના પ્રયાસો લોકોને ભારતની કાલાતીત પરંપરાઓ સાથે ફરીથી જોડી રહ્યા છે.

#12YearsOfVikasBhiVirasatBhi”

 

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]