Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સમ્રાટ પેરુમ્બિદુગુ મુથરૈયાર IIના સન્માનમાં સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવાનું કર્યું સ્વાગત


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતના ઉપરાષ્ટ્રપતિ થિરુ સી.પી. રાધાકૃષ્ણન દ્વારા સમ્રાટ પેરુમ્બિદુગુ મુથરૈયર II (સુવરન મારન)ના સન્માનમાં એક સ્મારક ટપાલ ટિકિટનું વિમોચન કરવા બદલ આનંદ વ્યક્ત કર્યો છે.

શ્રી મોદીએ કહ્યું કે સમ્રાટ પેરુમ્બિદુગુ મુથરૈયર II અસાધારણ દૂરંદેશી, સૂઝ અને વ્યૂહાત્મક પ્રતિભા ધરાવતા પ્રભાવશાળી પ્રશાસક હતા. તેમણે સમ્રાટની ન્યાય પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અને તમિલ સંસ્કૃતિના મહાન આશ્રયદાતા તરીકેની તેમની અનોખી ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને ખાસ કરીને યુવાનોને આદરણીય સમ્રાટના અસાધારણ જીવન અને વારસા વિશે વધુ જાણવાનો આગ્રહ કર્યો, જેમનું યોગદાન આજે પણ પેઢીઓને પ્રેરણા આપે છે.

X પર અલગ અલગ પોસ્ટ્સમાં, શ્રી મોદીએ કહ્યું:

“ખુશ છું કે ઉપરાષ્ટ્રપતિ થિરુ સીપી રાધાકૃષ્ણનજીએ સમ્રાટ પેરુમ્બિદુગુ મુથરૈયાર II (સુવરન મારન)ના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી. તેઓ એક પ્રબળ પ્રશાસક હતા, જેમણે મહાન દૂરંદેશી, સૂઝ અને વ્યૂહાત્મક પ્રતિભાનો આશીર્વાદ હતો. તેઓ ન્યાય પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે જાણીતા હતા. તેઓ તમિલ સંસ્કૃતિના મહાન આશ્રયદાતા પણ હતા. હું વધુ યુવાનોને તેમના અસાધારણ જીવન વિશે વાંચવાનો આગ્રહ કરું છું.”

@VPIndia

@CPR_VP”

பேரரசர் இரண்டாம் பெரும்பிடுகு முத்தரையரை (சுவரன் மாறன்) கௌரவிக்கும் வகையில் சிறப்பு அஞ்சல் தலையைக் குடியரசு துணைத்தலைவர் திரு சி.பி. ராதாகிருஷ்ணன் அவர்கள் வெளியிட்டது மகிழ்ச்சி அளிக்கிறது. ஆற்றல்மிக்க நிர்வாகியான அவருக்குப் போற்றத்தக்க தொலைநோக்குப் பார்வையும், முன்னுணரும் திறனும், போர்த்தந்திர ஞானமும் இருந்தன. நீதியை நிலைநாட்டுவதில் அவர் உறுதியுடன் செயல்பட்டவர். அதேபோல் தமிழ் கலாச்சாரத்திற்கும் அவர் ஒரு மகத்தான பாதுகாவலராக இருந்தார். அவரது அசாதாரண வாழ்க்கையைப் பற்றி அதிகமான இளைஞர்கள் படிக்க வேண்டும் என்று நான் கேட்டுக்கொள்கிறேன்.

@VPIndia

@CPR_VP”

 

SM/JY/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]