Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા સેનાની શ્રી પિંગલી વેંકય્યાને તેમની 150મી જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા સેનાની શ્રી પિંગલી વેંકય્યાને તેમની 150મી જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને ત્રિરંગો આપવા બદલ પિંગલી વેંકય્યાની અમૂલ્ય ભૂમિકાને યાદ કરી હતી અને જણાવ્યું હતું કે તેમના પ્રયાસો લોકોને સમર્પણ અને દેશભક્તિની ભાવના સાથે દેશની સેવા કરવા માટે પ્રેરણા આપતા રહે છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે ત્રિરંગો દરેક ભારતીયના હૃદયને અપાર ગર્વથી ભરી દે છે અને રાષ્ટ્રને રાષ્ટ્ર નિર્માણ તરફ કામ કરવા માટે પ્રેરિત કરે છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

પિંગલી વેંકય્યાજીને તેમની 150મી જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ. આપણા રાષ્ટ્રને ત્રિરંગો આપવામાં તેમની અમૂલ્ય ભૂમિકા માટે તેમને યાદ કરવામાં આવે છે. તેમના પ્રયાસો હંમેશા લોકોને સમર્પણ અને દેશભક્તિની ભાવના સાથે આપણા દેશની સેવા કરવા માટે પ્રેરિત કરે.

ત્રિરંગો દરેક ભારતીયના હૃદયને અપાર ગર્વથી ભરી દે છે અને આપણને રાષ્ટ્ર નિર્માણ તરફ કામ કરવા માટે પ્રેરિત કરે છે.”

SM/JY/JD