Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદને તેમના નિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામી વિવેકાનંદને તેમના નિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પી હતી. શ્રી નરેન્દ્ર મોદીએ નોંધ્યું હતું કે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, આધ્યાત્મિક પરંપરાઓ અને રાષ્ટ્રીય ચેતનાને વૈશ્વિક ઓળખ અપાવવામાં સ્વામી વિવેકાનંદજીનું અજોડ યોગદાન પેઢીઓને પ્રેરણા આપતું રહે છે. તેમનું ગહન જ્ઞાન અને કાલાતીત આદર્શો દેશભરના લાખો યુવાનો માટે માર્ગદર્શક બળ બની રહ્યા છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “તેમનો આધ્યાત્મિક સંદેશ વિકસિત ભારતના નિર્માણના સામૂહિક સંકલ્પમાં રાષ્ટ્રને પ્રેરણા અને ઊર્જા આપતો રહેશે”

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

સ્વામી વિવેકાનંદને તેમના નિર્વાણ દિવસ પર કોટિ-કોટિ વંદન કરીએ છીએ. ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને રાષ્ટ્રીય ચેતનાની વૈશ્વિક ઓળખમાં તેમનું યોગદાન અજોડ છે. તેમના જ્ઞાન અને પ્રેરણાદાયી વિચારો આજે પણ લાખો યુવાનોને માર્ગદર્શન આપે છે. તેમનો આધ્યાત્મિક સંદેશ રાષ્ટ્રને વિકસિત ભારત બનાવવાના તેના સંકલ્પને સાકાર કરવા માટે નવી ઊર્જા અને દિશા પ્રદાન કરતો રહેશે.

 

SM/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]