પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બર, 2018નાં રોજ નવી દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં પુનરુત્થાન માટે શિક્ષણ પર અકાદમિક નેતૃત્વ પરના સંમેલનનું ઉદઘાટન કરશે, જેમાં 350થી વધારે યુનિવર્સિટીઓનાં વાઇસ ચાન્સેલર્સ/ડાયરેક્ટર્સ સામેલ થશે. આ કાર્યક્રમનું આયોજન યુજીસી, એઆઇસીટીઇ, આઇસીએસએસઆર, આઇજીએનસીએ, ઇગ્નૂ, જેએનયુ અને એસજીટી યુનિવર્સિટીએ સંયુક્તપણે કર્યું છે.
આ સંમેલનમાં ભારતીય શૈક્ષણિક વ્યવસ્થા સામેનાં હાલનાં પડકારોની સાથે-સાથે અપેક્ષિત શૈક્ષણિક પરિણામ પ્રાપ્ત કરવા અને શિક્ષણનાં નિયમનની દ્રષ્ટિએ વ્યાપક પરિવર્તન લાવવા માટે એક યોજના તૈયાર કરવા પર ચર્ચાવિચારણા કરવામાં આવશે.
આ સંમેલનનું ઉદઘાટન પ્રધાનમંત્રી સવારે 10.30 વાગે કરશે, ત્યાર બાદ આઠ વિષયોને આવરીને બ્રેકઆઉટ સત્ર શરૂ થશે, જે વિષયો આ મુજવ છેઃ
માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર સમાપન સત્રની અધ્યક્ષતા કરશે. આ દરમિયાન આઠ જૂથોમાંથી દરેક જૂથ પારસ્પરિક સંમતિથી તૈયાર કાર્યયોજના પર પ્રેઝન્ટેશન રજૂ કરશે. સંપૂર્ણ સત્ર દરમિયાન એનાં પર આગળ ચર્ચાવિચારણા કરવામાં આવશે. એવી આશા કરવામાં આવે છે કે દેશમાં ઉચ્ચ શિક્ષણની ગુણવત્તામાં સુધારો સુનિશ્ચિત કરવા માટે કોઈ વ્યાપક કાર્યયોજના સામે આવશે.
RP
At 10 AM this morning, I will inaugurate the 'Conference on Academic Leadership on Education for Resurgence' in Delhi. This is a commendable effort aimed at further strengthening our education system. https://t.co/N4f0w4IxsI
— Narendra Modi (@narendramodi) September 29, 2018