Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ફ્રાંસના પ્રમુખ શ્રી ઓલાંદે પ્રધાનમંત્રી શ્રી સાથે વાત કરી; પેરિસમાં સીઓપી-21 હેઠળ થયેલી આબોહવા અંગેની ચર્ચાની સ્થિતિ વિશે તેમને જાણકારી આપી


ફ્રાંસના પ્રમુખ શ્રી ફ્રાંસ્વા ઓલાંદેએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. તેમણે પ્રધાનમંત્રી શ્રીને સીઓપી-21માં આબોહવા અંગે થયેલી ચર્ચાઓ વિશે છેલ્લી માહિતીની જાણ કરી હતી.

વૈશ્વિક આબોહવા અંગેની ચર્ચા પેરિસમાં યોજાયેલી છે અને સમિટ હવે તેના છેલ્લા તબક્કામાં છે. ફ્રાંસના પ્રમુખના આ નમ્રતાપૂર્વકના વ્યવહારની પ્રધાનમંત્રી શ્રીએ પ્રશંસા કરી હતી.