પીએમઇન્ડિયા
ફ્રાંસના પ્રમુખ શ્રી ફ્રાંસ્વા ઓલાંદેએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. તેમણે પ્રધાનમંત્રી શ્રીને સીઓપી-21માં આબોહવા અંગે થયેલી ચર્ચાઓ વિશે છેલ્લી માહિતીની જાણ કરી હતી.
વૈશ્વિક આબોહવા અંગેની ચર્ચા પેરિસમાં યોજાયેલી છે અને સમિટ હવે તેના છેલ્લા તબક્કામાં છે. ફ્રાંસના પ્રમુખના આ નમ્રતાપૂર્વકના વ્યવહારની પ્રધાનમંત્રી શ્રીએ પ્રશંસા કરી હતી.