Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે સ્વાસ્થ્ય અને ઔષધિ ક્ષેત્રમાં સહયોગ માટે ભારત અને ઈરાન વચ્ચે સમજૂતીકરારને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત મંત્રીમંડળની બેઠકમાં ભારત અને ઇરાન વચ્ચે સ્વાસ્થ્ય અને ઔષધિનાં ક્ષેત્રમાં સહયોગ સ્થાપિત કરવા માટે અગાઉથી થયેલ સમજૂતીકરારને મંજૂરી આપવામાં આવી હતી. ઈરાનનાં રાષ્ટ્રપતિનાં ભારત આગમન દરમિયાન 17 ફેબ્રુઆરી, 2018નાં રોજ સમજૂતીકરારો પર હસ્તાક્ષર થયાં હતાં.

આ સમજૂતીકરારોથી બંને દેશો વચ્ચે સહયોગને પ્રોત્સાહન મળશે અને બંને દેશોનાં દ્વિપક્ષીય સંબંધ મજબૂત થશે.

સમજૂતીકરારનાં કાર્યક્ષેત્રમાં નીચેનાં સહયોગનાં ક્ષેત્રો સામેલ છેઃ

  1. ડૉક્ટર અને સ્વાસ્થ્ય ક્ષેત્રોનાં અન્ય વ્યાવસાયિકોની તાલીમમાં અનુભવનું આદાન-પ્રદાન.
  2. માનવ સંસાધન વિકાસમાં સહાયતા અને સ્વાસ્થ્ય સુવિધાઓની સ્થાપના.
  3. ઔષધ, ચિકિત્સા ઉપકરણો અને પ્રસાધનનાં નિયમન અને સંબંધિત સૂચનાઓનું આદાનપ્રદાન.
  4. ડોક્ટર, સંશોધન, નવી ટેકનોલોજી અને જ્ઞાન આધારિત પહેલોનાં ક્ષેત્રોમાં સહયોગ.
  5. જન સ્વાસ્થ્ય, સતત વિકાસ લક્ષ્યાંક અને આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્યમાં સહયોગ તથા
  6. પારસ્પરિક નક્કી કરેલા અન્ય ક્ષેત્રોમાં સહયોગ.

આ સમજૂતીકરારનો અમલ અને સહયોગનાં વિવરણ તેમજ સ્પષ્ટતા માટે એક કાર્યસમૂહ સ્થાપિત કરવામાં આવશે.

 

RP