Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વિયેતનામનાં રાષ્ટ્રપતિની ભારતની રાજકિય મુલાકાત દરમિયાન થયેલા સમજૂતીકરારો (એમઓયુ)/સંધીઓની યાદી (03 માર્ચ, 2018)


1

આર્થિક અને વેપાર સહકાર પર સમજૂતીકરાર (એમઓયુ).

એમઓયુનો ઉદ્દેશ આર્થિક અને વેપારી સંબંધોને વધુ ગાઢ બનાવવા માળખું સ્થાપિત કરવાનો છે.

શ્રીમતી સુષ્મા સ્વરાજ, માનનીય વિદેશમંત્રી

મહામહિમ શ્રી ચન તુઆન આન્હ, મંત્રી, ઉદ્યોગ અને વેપાર મંત્રાલય

2

ભારતીય કૃષિ સંશોધન પરિષદ (આઇસીએઆર) અને વિયેતનામનાં કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય વચ્ચે 2018-2022 માટે કાર્યયોજના.

આ કાર્યયોજનાનો ઉદ્દેશ કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં ટેકનિકલ નિષ્ણાતોની મુલાકાતનાં આદાન-પ્રદાન અને ટેકનોલોજીનાં હસ્તાંતરણમાં સહકારને પ્રોત્સાહન આપવાનો છે

શ્રીમતી સુષ્મા સ્વરાજ, માનનીય વિદેશ મંત્રી

મહામહિમ શ્રી ન્ગુયાન શુઆન ક્યુન્ગ,મત્રી,

કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય

3

ભારતનાં વૈશ્વિક પરમાણુ ઊર્જા ભાગીદારી કેન્દ્ર (જીસીએનઇપી) અને વિયેતનામ પરમાણુ ઊર્જા સંસ્થા (વીઆઇએનએટીઓએમ) વચ્ચે સહકાર વધારવા સમજૂતીકરાર (એમઓયુ)

આ એમઓયુનો ઉદ્દેશ શાંતિપૂર્ણ ઉદ્દેશો માટે પરમાણુ ઊર્જામાં ટેકનિકલ સહકારને વધારે ગાઢ બનાવવાનો છે.

શ્રી શેખર બાસુ, સચિવ, પરમાણુ ઊર્જા વિભાગ

મહામહિમ શ્રી દાગ દિન્હ ક્વેય, નાયબ વિદેશ મંત્રી

ક્રમ સમજૂતીકરાર (એમઓયુ)/કાર્યયોજના અને ઉદ્દેશ ભારત તરફથી વિયેતનામ તરફથી

 

 

RP