Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

127 વર્ષ પછી પવિત્ર પિપ્રહવા અવશેષો પરત આવ્યાનું પ્રધાનમંત્રીએ સ્વાગત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 127 વર્ષ પછી ભગવાન બુદ્ધના પવિત્ર પિપ્રહવા અવશેષો ભારતમાં પરત આવવાની પ્રશંસા કરી અને તેને રાષ્ટ્રના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે ગર્વ અને આનંદની ક્ષણ ગણાવી હતી.

વિકાસ ભી વિરાસત ભીની ભાવનાને પ્રતિબિંબિત કરતા એક નિવેદનમાં, પ્રધાનમંત્રીએ ભગવાન બુદ્ધના ઉપદેશો પ્રત્યે ભારતનો ઊંડો આદર અને તેના આધ્યાત્મિક અને ઐતિહાસિક વારસાને જાળવવા માટે રાષ્ટ્રની અતૂટ પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.

X પર એક થ્રેડ પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું:

આપણા સાંસ્કૃતિક વારસા માટે આનંદદાયક દિવસ!

દરેક ભારતીયને ગર્વ થશે કે ભગવાન બુદ્ધના પવિત્ર પિપ્રહવા અવશેષો 127 વર્ષો પછી ઘરે પાછા ફર્યા છે. આ પવિત્ર અવશેષો ભગવાન બુદ્ધ અને તેમના ઉમદા ઉપદેશો સાથે ભારતના ગાઢ જોડાણને પ્રકાશિત કરે છે. તે આપણી ભવ્ય સંસ્કૃતિના વિવિધ પાસાઓના સંરક્ષણ અને રક્ષણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે. #વિકાસભીવિરાસતભી”

નોંધનીય છે કે પિપ્રહવા અવશેષો 1898માં મળી આવ્યા હતા પરંતુ વસાહતી સમયગાળા દરમિયાન ભારતમાંથી છીનવી લેવામાં આવ્યા હતા. જ્યારે તેઓ આ વર્ષની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય હરાજીમાં દેખાયા, ત્યારે અમે સુનિશ્ચિત કર્યું કે તેને સ્વદેશમાં લાવવામાં આવે. હું આ પ્રયાસમાં સામેલ તમામ લોકોની પ્રશંસા કરું છું.”

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]