Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

SEMICON India 2025 દરમિયાન પ્રધાનમંત્રીએ અગ્રણી CEOs સાથે વાતચીત કરી

SEMICON India 2025 દરમિયાન પ્રધાનમંત્રીએ અગ્રણી CEOs સાથે વાતચીત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે SEMICON India 2025 દરમિયાન સેમિકન્ડક્ટર્સની દુનિયાના અગ્રણી CEOs સાથે વાતચીત કરી. “મેં આ ક્ષેત્રમાં ભારતની અવિરત સુધારા યાત્રા વિશે વાત કરી, જેમાં મજબૂત માળખાગત સુવિધાઓનું નિર્માણ અને કૌશલ્ય તેમજ નવીનતા પર ભાર સામેલ છે”, શ્રી મોદીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

આજે અગાઉ, SEMICON India 2025 દરમિયાન સેમિકન્ડક્ટર્સની દુનિયાના અગ્રણી CEOs સાથે વાતચીત કરી. ભારતની સંભાવનામાં તેમનો વિશ્વાસ સ્પષ્ટ છે અને તેઓ સેમિકન્ડક્ટર નવીનતા અને ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ભારત પર મોટો દાવ લગાવી રહ્યા છે. મેં આ ક્ષેત્રમાં ભારતની અવિરત સુધારા યાત્રા વિશે વાત કરી, જેમાં મજબૂત માળખાગત સુવિધાઓનું નિર્માણ અને કૌશલ્ય તેમજ નવીનતા પર ભાર સામેલ છે.”

SM/IJ/GP/JD