Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી શ્રીમાન બોરિસ જ્હોન્સન MP વચ્ચે ફોન પર વાતચીત


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી મહામહિમ બોરિસ જ્હોન્સન એમપી સાથે ફોન પર વાત કરી.

બંને નેતાઓએ યુક્રેનની સ્થિતિ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ દુશ્મનાવટ બંધ કરવા અને સંવાદ અને મુત્સદ્દીગીરીના માર્ગ પર પાછા ફરવાની ભારતની સતત અપીલનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે સમકાલીન વિશ્વ વ્યવસ્થાના આધાર તરીકે આંતરરાષ્ટ્રીય કાયદા અને તમામ રાજ્યોની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ પ્રત્યે ભારતની માન્યતા પર ભાર મૂક્યો હતો.

બંને નેતાઓએ દ્વિપક્ષીય હિતોના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી અને વેપાર, ટેક્નોલોજી, રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા અને લોકો વચ્ચેના સંબંધો સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહકારને વધુ ગાઢ બનાવવાની સંભાવના પર સંમત થયા હતા. પ્રધાનમંત્રી શ્રી મોદીએ દ્વિપક્ષીય મુક્ત વ્યાપાર કરાર પર ચાલી રહેલી વાટાઘાટોમાં સકારાત્મક વેગ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ગયા વર્ષે બંને નેતાઓ વચ્ચે વર્ચ્યુઅલ સમિટ દરમિયાન અપનાવવામાં આવેલા ‘ભારત-યુકે રોડમેપ 2030’ના અમલીકરણમાં થયેલી પ્રગતિની પણ પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ પરસ્પર અનુકૂળતા મુજબ વહેલી તકે PM જ્હોન્સનનું ભારતમાં સ્વાગત કરવાની તેમની ઇચ્છા વ્યક્ત કરી હતી.

SD/GP/JD