પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ‘સહકાર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ દરમિયાન વિવિધ સહકારી સંસ્થાઓના અગ્રણીઓના સેમિનારમાં સંબોધન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે કલોલમાં IFFCO ખાતે નવા બાંધવામાં આવેલા નેનો યુરિયા (પ્રવાહી) પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ, ડૉ. મનસુખભાઇ માંડવિયા, સાંસદો, ગુજરાત સરકારના ધારાસભ્યો અને અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત જનમેદનીને સંબોધનની શરૂઆત કરતા પ્રધાનમંત્રીએ આજે મહાત્મા મંદિર ખાતે એકઠા થયેલા હજારો ખેડૂતોનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ગામડાઓની આત્મનિર્ભરતા માટે સહકાર એ ખૂબ જ મોટું માધ્યમ છે. તેમાં આત્મનિર્ભર ભારતની ઊર્જા છે. તેમણે કહ્યું હતું કે, પૂજ્ય બાપુ અને પટેલે કેવી રીતે ગામડાઓને આત્મનિર્ભર બનાવી શકાય તેની રીત બતાવી હતી. તેમના એ વિચારોને અનુરૂપ, આજે આપણે મોડલ સહકારી ગામના વિકાસના માર્ગે આગળ વધી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં છ ગામડાં પસંદ કરવામાં આવ્યા છે જ્યાં તમામ સહકારી સંબંધિત પ્રવૃત્તિઓનો અમલ કરવામાં આવશે.
એવી જ રીતે, પ્રધાનમંત્રીએ કલોલના IFFCO ખાતે નવા બાંધવામાં આવેલા નેનો યુરિયા (પ્રવાહી) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતી વખતે દિલથી ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, યુરિયાની આખી બોરીની શક્તિ અડધા લીટરની બોટલમાં આવી ગઇ છે, જેના કારણે પરિવહન અને સંગ્રહમાં મોટી બચત થઇ છે. આ પ્લાન્ટ દરરોજ 500 મિલીલીટરની આશરે 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે, પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આવનારા દિવસોમાં દેશમાં આવા વધુ 8 પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, “આનાથી યુરિયાના સંદર્ભમાં આપણી વિદેશ પર રહેલી નિર્ભરતા ઓછી થશે અને દેશના નાણાંની બચત પણ થશે. મને વિશ્વાસ છે કે આ ઇનોવેશન યુરિયા સુધી સીમિત નહીં રહે. ભવિષ્યમાં અન્ય નેનો ખાતરો આપણા ખેડૂતોને ઉપલબ્ધ થશે.”
પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, આખી દુનિયામાં ભારત યુરિયાનું બીજું સૌથી મોટું વપરાશકાર રાષ્ટ્ર છે પરંતુ માત્ર ત્રીજું સૌથી મોટું ઉત્પાદક છે. 2014માં તેમની સરકારની રચના થઇ તે પછી, સરકારે યુરિયાનું 100% નીમ કોટિંગ કર્યું હતું. આના કારણે દેશના ખેડૂતોને પુરતા પ્રમાણમાં યુરિયા મળી રહે તે સુનિશ્ચિત થઇ શક્યું છે. સાથે સાથે, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને તેલંગાણામાં યુરિયાના ઉત્પાદનના બંધ કરવામાં આવેલા પ્લાન્ટને ફરી શરૂ કરવાની કામગીરી પણ હાથ ધવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, હવે આ તમામ ફેક્ટરીઓમાં ઉત્પાદન શરૂ થઇ ગયું છે અને અન્ય ત્રણ ફેક્ટરીઓમાં પણ ટૂંક સમયમાં કામ શરૂ થઇ જશે.
યુરિયા અને ફોસ્ફેટ અને પોટાશ આધારિત ખાતરોના સંદર્ભમાં આયાતની નિર્ભરતા અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ મહામારી અને યુદ્ધના કારણે વૈશ્વિક બજારોમાં વધી ગયેલા ભાવો અને ઉપલબ્ધતાના અભાવ અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સંવેદનશીલ સરકારે ખેડૂતો સુધી સમસ્યાઓ પહોંચાડવા દીધી નથી અને મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં ભારતમાં ખાતરનું કોઇ મુશ્કેલી આવવા દીધી નથી. 3500 રૂપિયાની યુરિયાની થેલી ખેડૂતને 300 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે જ્યારે સરકાર પ્રત્યેક થેલીએ 3200 રૂપિયા ચૂકવે છે. એ જ રીતે, DAPની એક થેલી પર સરકાર રૂ. 2500 ભોગવે છે જ્યારે અગાઉની સરકારો દ્વારા માત્ર 500 રૂપિયા ભોગવવામાં આવતા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ગયા વર્ષે રૂપિયા 1 લાખ 60 હજાર કરોડની સબસિડી આપી હતી, આ વર્ષે આ સબસિડી રૂ. 2 લાખ કરોડથી વધુ થવાની છે. પ્રધાનમંત્રીએ દેશના ખેડૂતોના હિત માટે જે કંઇપણ કરવાની જરૂર હશે તે કરવાનું વચન આપ્યું હતું અને દેશના ખેડૂતોને મજબૂત કરવાનું ચાલુ રાખ્યું હતું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં 8 વર્ષમાં સરકારે દેશ સમક્ષ આવી રહેલી સમસ્યાઓના તાત્કાલિક અને લાંબાગાળા એમ બંને પ્રકારે ઉકેલો લાવવા પર કામ કર્યું છે. તેમણે ભવિષ્યમાં કોઇપણ મહામારીના આંચકાનો સામનો કરવા માટે સ્વાસ્થ્ય માળખામાં સુધારો કરવા, ખાદ્ય તેલની સમસ્યાઓનો સામનો કરવા માટે મિશન ઓઇલ પામ, ઓઇલની સમસ્યાઓને નિયંત્રિત કરવા માટે બાયો-ઈંધણ અને હાઈડ્રોજન ઈંધણ, કુદરતી ખેતી અને નેનો ટેકનોલોજીને વેગ આપવા જેવા ઉકેલોને પણ આ અભિગમના પરિણામો તરીકે ગણાવ્યા હતા. એવી જ રીતે, તેમણે કહ્યું કે, આત્મનિર્ભરતામાં ભારતની ઘણી મુશ્કેલીઓનો ઉકેલ છે. તેમણે સહકારી મંડળીઓને આત્મનિર્ભરતાના એક મહાન મોડેલ તરીકે ગણાવી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત એ બાબતે પણ નસીબદાર છે કે આપણને પૂજ્ય બાપુ અને સરદાર સાહેબ જેવા નેતાઓ મળ્યા હતા. સરદાર સાહેબે આદરણીય બાપુએ બતાવેલા માર્ગને સહકારથી આત્મનિર્ભરતા સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું. ડેરી ક્ષેત્રના સહકારી મોડલનું દૃશ્ટાંત આપણી સામે જ છે. આજે ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે જેમાં ગુજરાતનો હિસ્સો ઘણો મોટો છે. ડેરી ક્ષેત્ર પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપી ગતિએ વિકાસ પામી રહ્યું છે અને ગ્રામીણ અર્થતંત્રમાં પણ વધુ યોગદાન આપી રહ્યું છે. ગુજરાતમાં, દૂધ આધારિત ઉદ્યોગો વ્યાપકપણે ફેલાયેલા હતા કારણ કે તેમાં સરકારના પ્રતિબંધો ઓછા હતા. સરકાર અહીં માત્ર સુવિધા આપનારની ભૂમિકા ભજવે છે, બાકીનું કામ કાં તો સહકારી મંડળીઓ અથવા ખેડૂતો કરે છે.
પ્રધાનમંત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકાર સહકારની લાગણીને અમૃતકાળની ભાવના સાથે જોડવા માટે એકધારી આગળ વધી રહી છે. આ ઉદ્દેશ્ય સાથે કેન્દ્રમાં સહકારી મંડળીઓ માટે અલગ મંત્રાલયની પણ રચના કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં સહકારી આધારિત આર્થિક મોડલને પ્રોત્સાહિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, “સહકારી ક્ષેત્રની સૌથી મોટી તાકાત ભરોસો, સહકાર અને સામૂહિક શક્તિ સાથે સંગઠનની ક્ષમતામાં કરવામાં આવતી વૃદ્ધિ છે. આ અમૃતકાળ દરમિયાન ભારત સફળ થશે એ વાતની ગેરંટી છે.” સરકાર અમૃતકાળમાં નાની અને ઓછી આંકેલી વસ્તુને મોટી શક્તિ બનાવવા માટે કામ કરી રહી છે. આજે નાના ખેડૂતોને દરેક રીતે સશક્ત બનાવવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે, નાના પાયાના ઉદ્યોગો અને MSME ને ભારતની આત્મનિર્ભર પૂરવઠા સાંકળનો મજબૂત ભાગ બનાવવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના સમાપનમાં કહ્યું હતું કે, “મને ખાતરી છે કે સહકાર આપણને આપણા લક્ષ્યો સાકાર કરવામાં મદદ કરશે અને ભારત સફળતા તેમજ સમૃદ્ધિના માર્ગ પર આગળ વધશે.”
सहकार, गांव के स्वाबलंबन का भी बहुत बड़ा माध्यम है।
इसमें आत्मनिर्भर भारत की ऊर्जा है: PM @narendramodi #SahkarSeSamrudhi
— PMO India (@PMOIndia) May 28, 2022
देश के किसान के हित में जो भी ज़रूरी हो, वो हम करते हैं, करेंगे और देश के किसानों की ताकत बढ़ाते रहेंगे: PM @narendramodi #SahkarSeSamrudhi
— PMO India (@PMOIndia) May 28, 2022
आत्मनिर्भरता में भारत की अनेक मुश्किलों का हल है।
और आत्मनिर्भरता का एक बेहतरीन मॉडल, सहकार है।
ये हमने गुजरात में बहुत सफलता के साथ अनुभव किया है और आप सभी साथी इस सफलता के सेनानी हैं: PM @narendramodi #SahkarSeSamrudhi
— PMO India (@PMOIndia) May 28, 2022
गुजरात तो इसलिए भी सौभाग्यशाली रहा क्योंकि पूज्य बापू और सरदार साहेब का नेतृत्व यहां हमें मिला।
पूज्य बापू ने सहकार से स्वाबलंबन का जो मार्ग दिखाया, उसको सरदार साहेब ने ज़मीन पर उतारने का काम किया: PM @narendramodi #SahkarSeSamrudhi
— PMO India (@PMOIndia) May 28, 2022
डेयरी सेक्टर के cooperative model का उदाहरण हमारे सामने है।
आज भारत दुनिया का सबसे बड़ा दूध उत्पादक है जिसमें गुजरात की बहुत बड़ी हिस्सेदारी है।
बीते सालों में डेयरी सेक्टर तेज़ी से बढ़ भी रहा है और ग्रामीण अर्थव्यवस्था में ज्यादा कंट्रीब्यूट भी कर रहा है: PM #SahkarSeSamrudhi
— PMO India (@PMOIndia) May 28, 2022
गुजरात में भी दूध आधारित उद्योगों का व्यापक प्रसार इसलिए हुआ क्योंकि इसमें सरकार की तरफ से पाबंदियां कम से कम रहीं।
सरकार यहां सिर्फ एक facilitator की भूमिका निभाती है, बाकी का काम या तो आप जैसे Co-operatives करते हैं, किसान करते हैं: PM @narendramodi #SahkarSeSamrudhi
— PMO India (@PMOIndia) May 28, 2022
सहकार की स्पिरिट को आज़ादी के अमृतकाल की स्पिरिट से जोड़ने के लिए हम निरंतर आगे बढ़ रहे हैं।
इसी उद्देष्य के साथ केंद्र में सहकारिता के लिए अलग मंत्रालय का गठन किया गया।
कोशिश यही है कि देश में सहकारिता आधारित आर्थिक मॉडल को प्रोत्साहित किया जाए: PM #SahkarSeSamrudhi
— PMO India (@PMOIndia) May 28, 2022
हमारे यहां जिसको भी छोटा समझकर कम आंका गया, उसको अमृतकाल में बड़ी ताकत बनाने पर हम काम कर रहे हैं।
छोटे किसानों को आज हर प्रकार से सशक्त किया जा रहा है।
इसी प्रकार लघु उद्योगों- MSMEs को भारत की आत्मनिर्भर सप्लाई चेन का मज़बूत हिस्सा बनाया जा रहा है: PM #SahkarSeSamrudhi
— PMO India (@PMOIndia) May 28, 2022
SD/GP/JD
Watch LIVE https://t.co/87GMbJESSU
— PMO India (@PMOIndia) May 28, 2022
सहकार, गांव के स्वाबलंबन का भी बहुत बड़ा माध्यम है।
— PMO India (@PMOIndia) May 28, 2022
इसमें आत्मनिर्भर भारत की ऊर्जा है: PM @narendramodi #SahkarSeSamrudhi
2014 में सरकार बनने के बाद हमने यूरिया की शत-प्रतिशत नीम कोटिंग का किया।
— PMO India (@PMOIndia) May 28, 2022
इससे देश के किसानों को पर्याप्त यूरिया मिलना सुनिश्चत हुआ।
साथ ही हमने यूपी, बिहार, झारखंड, ओडिशा और तेलंगाना में 5 बंद पड़े खाद कारखानों को फिर चालू करने का काम शुरु किया: PM #SahkarSeSamrudhi
देश के किसान के हित में जो भी ज़रूरी हो, वो हम करते हैं, करेंगे और देश के किसानों की ताकत बढ़ाते रहेंगे: PM @narendramodi #SahkarSeSamrudhi
— PMO India (@PMOIndia) May 28, 2022
आत्मनिर्भरता में भारत की अनेक मुश्किलों का हल है।
— PMO India (@PMOIndia) May 28, 2022
और आत्मनिर्भरता का एक बेहतरीन मॉडल, सहकार है।
ये हमने गुजरात में बहुत सफलता के साथ अनुभव किया है और आप सभी साथी इस सफलता के सेनानी हैं: PM @narendramodi #SahkarSeSamrudhi
गुजरात तो इसलिए भी सौभाग्यशाली रहा क्योंकि पूज्य बापू और सरदार साहेब का नेतृत्व यहां हमें मिला।
— PMO India (@PMOIndia) May 28, 2022
पूज्य बापू ने सहकार से स्वाबलंबन का जो मार्ग दिखाया, उसको सरदार साहेब ने ज़मीन पर उतारने का काम किया: PM @narendramodi #SahkarSeSamrudhi
डेयरी सेक्टर के cooperative model का उदाहरण हमारे सामने है।
— PMO India (@PMOIndia) May 28, 2022
आज भारत दुनिया का सबसे बड़ा दूध उत्पादक है जिसमें गुजरात की बहुत बड़ी हिस्सेदारी है।
बीते सालों में डेयरी सेक्टर तेज़ी से बढ़ भी रहा है और ग्रामीण अर्थव्यवस्था में ज्यादा कंट्रीब्यूट भी कर रहा है: PM #SahkarSeSamrudhi
गुजरात में भी दूध आधारित उद्योगों का व्यापक प्रसार इसलिए हुआ क्योंकि इसमें सरकार की तरफ से पाबंदियां कम से कम रहीं।
— PMO India (@PMOIndia) May 28, 2022
सरकार यहां सिर्फ एक facilitator की भूमिका निभाती है, बाकी का काम या तो आप जैसे Co-operatives करते हैं, किसान करते हैं: PM @narendramodi #SahkarSeSamrudhi
सहकार की स्पिरिट को आज़ादी के अमृतकाल की स्पिरिट से जोड़ने के लिए हम निरंतर आगे बढ़ रहे हैं।
— PMO India (@PMOIndia) May 28, 2022
इसी उद्देष्य के साथ केंद्र में सहकारिता के लिए अलग मंत्रालय का गठन किया गया।
कोशिश यही है कि देश में सहकारिता आधारित आर्थिक मॉडल को प्रोत्साहित किया जाए: PM #SahkarSeSamrudhi
सहकार की सबसे बड़ी ताकत भरोसा है, सहयोग है, सबके सामर्थ्य से संगठन के सामर्थ्य को बढ़ाने का है।
— PMO India (@PMOIndia) May 28, 2022
यही आज़ादी के अमृतकाल में भारत की सफलता की गारंटी है: PM @narendramodi #SahkarSeSamrudhi
हमारे यहां जिसको भी छोटा समझकर कम आंका गया, उसको अमृतकाल में बड़ी ताकत बनाने पर हम काम कर रहे हैं।
— PMO India (@PMOIndia) May 28, 2022
छोटे किसानों को आज हर प्रकार से सशक्त किया जा रहा है।
इसी प्रकार लघु उद्योगों- MSMEs को भारत की आत्मनिर्भर सप्लाई चेन का मज़बूत हिस्सा बनाया जा रहा है: PM #SahkarSeSamrudhi
Gujarat's cooperative sector has a vibrant role in state's progress. Speaking at #SahkarSeSamrudhi programme in Gandhinagar. https://t.co/vJoVMAOzhC
— Narendra Modi (@narendramodi) May 28, 2022
2014 में सरकार बनने के बाद हमने यूरिया की शत-प्रतिशत नीम कोटिंग के साथ ही फर्टिलाइजर क्षेत्र की स्थिति बदलने के लिए अनेक कदम उठाए हैं। इसी कड़ी में अब नैनो फर्टिलाइजर की ओर जो कदम उठाया गया है, वह बेहद महत्वपूर्ण है। pic.twitter.com/QliurXqGq6
— Narendra Modi (@narendramodi) May 28, 2022
महंगे फर्टिलाइजर से किसानों की बढ़ती लागत को कम करने के लिए बीते 8 सालों में हमने तात्कालिक उपाय भी किए हैं और समस्याओं के स्थायी समाधान भी खोजे हैं। pic.twitter.com/qVHkqkOhbw
— Narendra Modi (@narendramodi) May 28, 2022
आत्मनिर्भरता में भारत की अनेक मुश्किलों का हल है और सहकार आत्मनिर्भरता का एक बेहतरीन मॉडल है। इसका हमने गुजरात में बहुत सफलता के साथ अनुभव किया है। pic.twitter.com/ZBRhGkz3Hn
— Narendra Modi (@narendramodi) May 28, 2022
हमारा प्रयास है कि सहकारी समितियों और संस्थानों को हम मार्केट में Competitive बनाएं और उनको बाकी मार्केट प्लेयर्स के साथ लेवल प्लेइंग फील्ड उपलब्ध कराएं। pic.twitter.com/j9Iwvqi54w
— Narendra Modi (@narendramodi) May 28, 2022
पहले जिसे छोटा समझकर कम आंका गया, उसे हम अमृतकाल में बड़ी ताकत बनाने पर काम कर रहे हैं। pic.twitter.com/7IbX1rtxyg
— Narendra Modi (@narendramodi) May 28, 2022