Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુજરાતના સોમનાથની ઝલક શેર કરી

પ્રધાનમંત્રીએ ગુજરાતના સોમનાથની ઝલક શેર કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સોમનાથ અમૃત મહોત્સવની ઝલક શેર કરી.

પવિત્ર સોમનાથ મંદિરના ગગનચુંબી શિખર પર ગર્વ સાથે લહેરાતા પાવન ધ્વજનું અવલોકન કરતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તે ભારતની આસ્થાના વિજયનું પ્રતીક છે અને કરોડો ભારતીયોની સામૂહિક ચેતનાનો દિવ્ય ઉદ્ઘોષ છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સોમનાથના શિખર પરનો ભગવો ધ્વજ અતૂટ ભક્તિની જીવંત વિજયગાથા છે જે અનંતકાળ સુધી ભારત ગૌરવનું ગાન કરવાનું ચાલુ રાખશે અને દરેક ભારતીયને પ્રેરણા આપતો રહેશે.

મંદિરના ઇતિહાસને યાદ કરતા પ્રધાનમંત્રીએ નોંધ્યું કે એક હજાર વર્ષ પહેલાં, સોમનાથ પર થયેલા ઘણા હુમલાઓમાંથી પહેલો હુમલો એવા લોકો દ્વારા થયો હતો જેઓ માનતા હતા કે તેઓ ભૂમિના સ્વભાવને તોડી શકે છે. તેમણે ભાર મૂક્યો કે ભારત માતાના ઉગ્ર હિંમતવાન સંતાનોના પ્રતાપે,સોમનાથનું પુનઃનિર્માણ થતું રહ્યું. શ્રી મોદીએ અવલોકન કર્યું કે પંચોતેર વર્ષ પહેલાં આ દિવસે, તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની હાજરીમાં નવનિર્મિત સોમનાથ મંદિરના દરવાજા ખુલ્યા હતા, અને વિશ્વને જાહેર કર્યું હતું કે હુમલાખોરો ઇતિહાસની ધૂળમાં ભળી ગયા છે, પરંતુ ભારતનો આત્મા અમર રહે છે. સોમનાથ સભ્યતાનું સાહસ અને અતૂટ ભક્તિ પ્રદર્શિત કરીને અડગ અને સનાતન ઊભું છે તેમ ઉમેરતા, તેમણે મહાદેવના આશીર્વાદ હંમેશા બધા પર બની રહે તે માટે પ્રાર્થના કરી હતી.

X પર પોસ્ટની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ લખ્યું:

પવિત્ર સોમનાથ મંદિરના ગગનચુંબી શિખર પર ગર્વ સાથે લહેરાતો પાવન ધ્વજ ભારતવર્ષની આસ્થાના વિજયનું પ્રતીક છે. આ કરોડો ભારતીયોની સામૂહિક ચેતનાનો દિવ્ય ઉદ્ઘોષ પણ છે. સોમનાથના શિખર પરનો ભગવો ધ્વજ આપણી અતૂટ શ્રદ્ધાની જીવંત વિજયગાથા છે. આ ધ્વજ અનંતકાળ સુધી ભારતના ગૌરવનું ગાન કરતો રહેશે, દરેક ભારતીયને પ્રેરણા આપતો રહેશે.”

 

એક હજાર વર્ષ પહેલાં, સોમનાથ પર અનેક હુમલાઓ પૈકીનો પ્રથમ હુમલો થયો હતો. જેઓ આવા હુમલાઓમાં સંડોવાયેલા રહ્યા તેઓ માનતા હતા કે તેઓ આપણી ભૂમિના નૈતિક મૂલ્યોને તોડી શકશે. પરંતુ, તેઓ ખોટા હતા. ભારત માતાના પ્રચંડ સાહસિક સંતાનોના આભારી છીએ કે, સોમનાથનું પુનઃનિર્માણ થતું રહ્યું.

પંચોતેર વર્ષ પહેલાં આજના દિવસે, તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં નવનિર્મિત સોમનાથ મંદિરના દ્વાર ખુલ્યા હતા, જેણે વિશ્વને જાહેર કર્યું હતું કે હુમલાખોરો ઇતિહાસની ધૂળમાં વિલીન થઈ ગયા છે, જ્યારે ભારતનો આત્મા અમર છે.

સોમનાથ અડગ અને શાશ્વત છે. તે આપણી સભ્યતાની હિંમત અને આપણી અખંડ ભક્તિ દર્શાવે છે. મહાદેવના આશીર્વાદ હંમેશા આપણા સૌ પર બની રહે.”

 

આજે સોમનાથની કેટલીક વધુ ઝલક…”

 

SM/BS/JD