Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મેજર જનરલ (નિવૃત્ત) ભુવન ચંદ્ર ખંડુરીના અવસાન પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મેજર જનરલ (નિવૃત્ત) ભુવન ચંદ્ર ખંડુરીના અવસાન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે મેજર જનરલ ખંડુરીએ સશસ્ત્ર દળોથી લઈને રાજકીય ક્ષેત્ર સુધી અમૂલ્ય યોગદાન આપ્યું હતું, જેના માટે તેઓ હંમેશા યાદ રહેશે. શ્રી મોદીએ મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ઉત્તરાખંડના વિકાસ માટેના તેમના અડગ સમર્પણ પર પ્રકાશ પાડ્યો હતો અને કેન્દ્રીય મંત્રી તરીકેના તેમના કાર્યકાળને ખરેખર પ્રેરણાદાયી ગણાવ્યો હતો. તેમણે દેશભરમાં કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો કરવા તરફના તેમના અથાક પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ દુઃખની આ ઘડીમાં દિવંગત નેતાના પરિવાર અને સમર્થકો પ્રત્યે પોતાની  સંવેદના વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મેજર જનરલ (નિવૃત્ત) ભુવન ચંદ્ર ખંડુરીના નિધનથી મને અત્યંત દુઃખ થયું છે. તેમણે સશસ્ત્ર દળો અને રાજકીય જગતમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું, જેના માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. તેઓ હંમેશા ઉત્તરાખંડના વિકાસ માટે સમર્પિત હતા, જે મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. કેન્દ્રીય મંત્રી તરીકેનો તેમનો કાર્યકાળ પણ પ્રેરણાદાયક છે. તેમણે દેશભરમાં કનેક્ટિવિટી સુધારવા માટે સતત અથાક મહેનત કરી હતી. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને સમર્થકો સાથે છે. ઓમ શાંતિ!”

 

IJ/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com