પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 મે 2026 ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 19મા રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિયુક્ત થયેલા યુવાનોને 51,000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. તેઓ આ પ્રસંગે ઉપસ્થિત જનસભાને પણ સંબોધિત કરશે.
રોજગાર નિર્માણને પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને અનુરૂપ, રોજગાર મેળો એ આ વિઝનને વાસ્તવિકતામાં બદલવાના હેતુથી એક મુખ્ય પહેલ છે. તેની શરૂઆતથી અત્યાર સુધીમાં, દેશભરમાં આયોજિત 18 રોજગાર મેળાઓ દ્વારા આશરે 12 લાખ ભરતી પત્રો જારી કરવામાં આવ્યા છે.
19મો રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાશે. ભારતના તમામ ભાગોમાંથી પસંદ કરાયેલા નવા ભરતી થયેલા ઉમેદવારો ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં જોડાશે જેમાં રેલવે મંત્રાલય, ગૃહ મંત્રાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ અને અન્યનો સમાવેશ થાય છે.
IJ/BS/JD