Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પહાડપુર ગામમાં ગોસાણી પીઠ ખાતે પૂજા-અર્ચના કરી

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પહાડપુર ગામમાં ગોસાણી પીઠ ખાતે પૂજા-અર્ચના કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે તેઓએ અને ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ પહાડપુર ગામમાં ગોસાણી પીઠ ખાતે પૂજા-અર્ચના કરી હતી.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આદિવાસી સંસ્કૃતિમાં ગોસાણી પીઠનું અત્યંત મહત્વ છે.

શ્રી મોદીએ કહ્યું કે તેઓ ભાગ્યશાળી છે કે તેમને ત્યાં જવાની તક મળી.

એક્સ (X) પરની એક પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું;

રાષ્ટ્રપતિ જી અને મેં પહાડપુર ગામમાં ગોસાણી પીઠ ખાતે પ્રાર્થના કરી.

આદિવાસી સંસ્કૃતિમાં ગોસાણી પીઠનું ઘણું મોટું મહત્વ છે. હું ભાગ્યશાળી છું કે મને અહીં આવવાની તક મળી.

@rashtrapatibhvn”

SM/BS/JD