પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈ 2026ના રોજ સાંજે 4:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026′ના સહભાગીઓ સાથે સંવાદ કરશે.
માય ભારત (MY Bharat) દ્વારા અમલમાં મુકાયેલ વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ, ભારતના સરહદી ગામડાઓને દેશના પ્રથમ ગામડાઓ ગણવાના અને વિકસિત ભારત તરફની યાત્રામાં તેમને સક્રિય ભાગીદાર બનાવવાના પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે સાકાર કરવામાં આવ્યો છે.
વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026નું આયોજન 4 જૂનથી 30 જૂન 2026 દરમિયાન બે તબક્કામાં કરવામાં આવ્યું હતું, જેમાં લદાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના 74 વાઇબ્રન્ટ ગામડાઓને આવરી લેવામાં આવ્યા હતા. રાષ્ટ્રવ્યાપી ઓનલાઇન ક્વિઝ સ્પર્ધા દ્વારા દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશનું પ્રતિનિધિત્વ કરતા 400 થી વધુ યુવા સહભાગીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં ત્રણ લાખથી વધુ યુવાનોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમના ભાગરૂપે, સહભાગીઓ સ્થાનિક સમુદાયો સાથે રહ્યા હતા અને સ્વચ્છતા અભિયાન, સરકારી યોજનાઓ અંગે જાગૃતિ અભિયાન, યુવા સંમેલન, સાંસ્કૃતિક આદાન–પ્રદાન કાર્યક્રમો, વૃક્ષારોપણ અભિયાન, મિની મોડેલ પંચાયત સિમ્યુલેશન, સ્થાનિક કારીગરો સાથે સંવાદ અને વ્યૂહાત્મક મહત્વ ધરાવતી સંસ્થાઓની મુલાકાત જેવી પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. આ કાર્યક્રમે સમુદાયની ભાગીદારી, રાષ્ટ્રીય એકીકરણ અને સરહદી ગામડાઓના વ્યૂહાત્મક મહત્વની ઊંડી સમજણને પ્રોત્સાહન આપવાની સાથે સહભાગીઓને ભારતના સરહદી વિસ્તારોના સામાજિક–આર્થિક પરિદ્રશ્ય, સાંસ્કૃતિક વારસો અને વિકાસાત્મક આકાંક્ષાઓનો પ્રત્યક્ષ અનુભવ પૂરો પાડ્યો હતો.
IJ/GP/JT