Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત શેર કરી; આદર, વિશ્વાસ અને અસરકારક નેતૃત્વના પાયા તરીકે સારા ચારિત્ર્યના મહત્વ પર ભાર મૂક્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે. જે સમજાવે છે કે સારા ચારિત્ર્ય ધરાવતી વ્યક્તિ સમાજમાં કેવી રીતે આદર પામે છે અને દરેક જવાબદારી માટે સક્ષમ માનવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

शीलवान् पूजितो लोके शीलवान् साधुसम्मतः।

शीलवान् सर्वकर्मार्हः शीलवान् प्रियदर्शनः॥

સદ્ગુણી ચારિત્ર્ય ધરાવતી વ્યક્તિ સમાજમાં આદર અને સારા લોકો દ્વારા પ્રશંસા મેળવે છે. તેમની પ્રામાણિકતા, નમ્રતા અને શિસ્તબદ્ધ વર્તનને કારણે, આવા વ્યક્તિઓ કોઈપણ જવાબદારી માટે લાયક માનવામાં આવે છે. તેમનું વ્યક્તિત્વ પ્રશંસનીય, પ્રેરણાદાયક અને અનુકરણીય છે. ખરેખર, સદ્ગુણી ચારિત્ર્ય  કાયમી સફળતા, અસરકારક નેતૃત્વ અને અટલ વિશ્વાસનો સાચો પાયો છે.

 

IJ/GP/JT