Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન રાષ્ટ્રની શક્તિને પ્રતિબિંબિત કરે છે અને વિકસિત ભારત માટે નવીન સંકલ્પને પ્રેરણા આપે છે: પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ દ્વારા આપવામાં આવેલા સંબોધનની પ્રશંસા કરતા તેને પ્રેરણાદાયક અને વિચારપ્રેરક ગણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું કે રાષ્ટ્રપતિજીના વિચારો આપણા રાષ્ટ્રની શક્તિ અને દરેક ભારતીયની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે. તેમણે જણાવ્યું હતું કે તેમનો સંદેશ આપણને સૌને વિકસિત ભારત માટે નવા સંકલ્પ અને દ્રઢ નિશ્ચય સાથે કામ કરવાની પ્રેરણા આપે છે.

X (ટ્વિટર) પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ શેર કર્યું:

સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિજી દ્વારા એક પ્રેરણાદાયી અને વિચારપ્રેરક સંબોધન.

તેમના વિચારો આપણા રાષ્ટ્રની શક્તિ અને દરેક ભારતીયની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે.

તેમનો સંદેશ આપણને સૌને વિકસિત ભારત માટે નવા સંકલ્પ સાથે કામ કરવાની પ્રેરણા આપે છે.

@rashtrapatibhvn”

SM/IJ/JD