Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી વૈશ્વિક આર્થિક પરિદ્રશ્ય પર ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતી કાલે સવારે (8 સપ્ટેમ્બર, 2015) નવી દિલ્હીમાં ‘તાજી વૈશ્વિક ગતિવિધીઓઃ ભારત માટે અવસર’ પર વિચાર – વિમર્શ માટે એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે.

આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી, સરકાર અને ભારતીય રીઝર્વ બેંકના વરિષ્ઠ અધિકારી, ઉદ્યોગ જગતના પ્રતિનિધિ, વરિષ્ઠ બેંક કર્મચારીઓ અને જાણીતા અર્થશાસ્ત્રી તથા આ ક્ષેત્રના વિશેષજ્ઞો સહિત 40 જેટલા પ્રતિનિધિઓ સામેલ થશે.

બેઠકમાં હાલની આર્થિક ગતિવિધીઓના પ્રભાવ અને ભારત તેનો કેવી રીતે લાભ લઈ શકે છે તેના પર વિસ્તૃત વિચાર – વિમર્શ થવાની સંભાવના છે.