પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની આજે (9 સપ્ટેમ્બર, 2015) ભારતમાં નિકાસ – આયાત બેંક (એક્ઝિમ બેંક)માં 800 કરોડ રૂપિયાના મૂડીરોકાણ કરવાની પોતાની પૂર્વવ્યાપી મંજૂરી આપી દીધી છે, જેની સ્વીકૃતિ અનુદાન માંગોમાં અપાઈ હતી અને બેંકના ભાવિ વિકાસમાં મદદ માટે નાણા મંત્રીએ તેના પર પોતાની સહમતિ દર્શાવી હતી.
એક્ઝિમ બેંકની સ્થાપના ભારતમાં નિકાસ – આયાત બેંક અધિનિયમ, 1981 અંતર્ગત વર્ષ 1982માં એક વૈધાનિક નિગમના રૂપમાં થઈ હતી, જેથી નિકાસકારો તથા આયાતકારોને નાણાકીય સહાયતા પૂરી પાડી શકાય.
UM/AP/J.Khunt/GP